Monday, June 6, 2011

Spiritualism માને અધ્યાત્મ માને અંધત્વ

વેલ,હેવી ટોપિક સમજીને જાતને બોર કે ઠળિયા જેવી ન ગણતા,કેમકે આ સબ્જેક્ટ તમારી અંદર પણ છે જ.લોહીની સાથે,વિચારોના ઘૂઘવતા સમંદરમાં વિદ્યમાન છે.હજારો વર્ષોની પરંપરા એ આપણામાં પલાયનવાદ રૂપે એનું ઘડતર આપણા સૌમાં કર્યું છે.આત્મા અમર છે અમર છે અમર છે.મારું શરીર મરી ગયા પછી મારા આત્મા ને શું બેંકમાં ડીપોઝીટ કરવા માટે રાખવાનો છે?જરા યાદ કરો એ સ્થળ,જેને સ્મશાન કહેવામાં આવે છે, સ્ત્રીઓ બાળકો માટે હજી સુધી વર્જિત છે એવા એ ક્ષેત્રમાં કોઈ નજીકના દુરના સ્વજન-મિત્ર વગેરેને બાળવા[હા એમ જ..વેવલાવેડા સિવાયની વાત થાય છે!] ગયા હો છો ત્યારે બળતી ચામડીના લોંદામાંથી હાડકું ખરી પડે છે ત્યારે કયું અધ્યાત્મ,કયું પ્રવચન,કયો બાપુ-બાવો,કયો સંપ્રદાય આડો આવે છે એ જાતને પૂછ્યું છે ક્યારેય?આટલા ક્ષણ-ભંગુર દેહને ઉપવાસો કરી કરીને એટલું નમાલું બનાવી દઈએ છીએ કે આ શરીર મર્દોને બદલે સુંવાળા,પોતાના જ પેશાબમાં થુંકી પણ ન શકનારા, થોડીક ઠંડી વધે ત્યાં બાટલા ચડાવવા પડે એવા ક્યુટ ક્યુટ અમેરિકન દેશી બેબીઝ જથ્થાબંધના ભાવે પેદા કરી દે છે.'બાબાને RO નું જ પાણી પીવડાવવું પડે છે.' હા,કેમકે બાબાને તો ઓલા બાબાની બનાવેલી દેશી દવાની આડઅસર થાય એટલું "બળવાન બોડી" છે.

અધ્યાત્મ કઈ જાદુટોના નથી.એની આયુર્વેદની જેમ ધીમી પણ મક્કમ અસર છે.એ માણસને પહેલા અંદરથી ઠીક કરે છે,પછી બહારથી.જે માણસ અધ્યાત્મ અને ધર્મને મિક્સ કરે છે એના આંટા ઉંધા ફરે છે કેમકે અધ્યાત્મ મનને સ્પર્શે છે જયારે ધર્મ દૈહિક ઉન્નતી તરફ નિર્દેશ કરે છે.એક બાવો ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે તમે જ તમારા ઉદ્ધારક બનો,જયારે બીજો બાપુ ડાહી ડાહી શિખામણો આપીને માનસિક ડાયાબીટીસ કરાવી દે છે.સરવાળે,કોઈનું ભલું થતું નથી ને પ્રજા મહ્ઝ ગધેડાની માફક ડફણા વગર માનતી નથી.અહી શેરીના નાકે તમને ઉપનીષદોના નામે કોર્નર પર માવો થૂકીને ઘરમાં જોહુકમી ચલાવતા ખડૂસ વૃદ્ધો પણ મળી રહે છે અને કચરો વાળતી કોઈ દાદી ચુલા અને લાકડાનો કાર્ય કારણનો સંબંધ વગર પૂછ્યે સમજાવી શકે એટલું અધ્યાત્મ સામાન્ય લોકોના લોહીની સાથે દોડી રહ્યું છે.

તેત્રીસ કરોડ દેવતાઓમાંથી દરેક જ્ઞાતિને પોતપોતાના હીરોની મૂર્તિ ઈઝીલી અવેઈલેબલ છે એટલે સમય[/સમસ્યા] આવ્યે પ્રજા શાહમૃગ કરતાય વધુ ઝડપે પોતાનું મોઢું કાન સહીત બોરવેલમાં ખોસી દે છે કેમકે જીભ તો એમેય પહેલેથી બંધ છે ને...અધ્યાત્મ મન શાંત કરે છે,ધર્મ જીભ-હાથ જેવા અવયવો શાંત કરે છે.ગુજરાતી પ્રજાનો મૂળભૂત ધર્મ જો કે પૈસા અને પ્રસિદ્ધિ છે એટલે એટલીસ્ટ એ મામલે આ લોકો ઝનુની તો છે.ફોર અ ચેઈન્જ,ઉપવાસની જેમ એ લોકો ધર્માદો કરી લે છે.[ફોટા ન્યુઝ સાથે જ હો...!] આટલું અધ્યાત્મ જ ખબર છે ભારતની જનતાને..તોય તત્વમસી એ કઈ સીધોસાદો શબ્દ નથી..સમગ્ર પ્રજા કોઈક અદ્રશ્ય તાંતણે બંધાયેલી છે.કોસ્મિક હાર્મની અહીં જીવતા જાગતા માણસો અબુધ રીતે ફોલો કરે છે.વિદેશની ધરતી પર કોઈ ભારતીય મળે ત્યારે તું બેંગોલી,હું ગુજરાતી જેવો અહંકાર 'હું પણ ભારતીય'ના શેઈક હેન્ડમાં ઓગળી જાય છે...અને આ જ મેજીક છે કે ભારતીય અધ્યાત્મ[દરેક અર્થમાં] નેચરને પ્રાધાન્ય આપે છે...પછી એ પ્રકૃતિ હોય કે સ્વભાવ હોય...ઇટ રીઅલી રોક્સ ડીપલી સમવ્હેર...

પાપીની કાગવાણી:

ક: ત્વં?[તું કોણ છે?] જવાબ= તત્વમસી[તું એ છે.]
   

No comments:

Post a Comment