Friday, November 18, 2011

નુર ઉન અલ્લાહ...!!!

'કિતની ઝબાને જાનતી હો? '

'વો ઝબાન, જો મર્દો કો બેઝુબાન બના દે'

જેબ્બાત...ઔરત કા જલવા બાબુ ભૈયા, ઔરત કા જલવા...જય વસાવડાના શબ્દોમાં કહીએ તો 'સ્ત્રી વિચાર કરતી નથી, પણ પુરુષને વિચારતો જરૂર કરી મુકે છે.' શું ખરેખર એવું છે? Let's have a look.. જગતભરમાં યુદ્ધો થયા એના માટે કા તો સત્તાલાલસા જવાબદાર હતી કા સ્ત્રી...હેલન ઓફ ટ્રોય, દ્રૌપદી, ક્લીઓપેટ્રા વગેરે વગેરે..એવું તે શું છે કે સ્ત્રી માટે પુરુષ આખી દુનિયાને ઉપરનીચે કરવા તૈયાર થઇ જાય છે? કદાચ આ ઉત્ક્રાંતિએ શીખવ્યું હશે. પણ આજે વાત કરવાની છે એક એવા ફ્નકારની કે જેને ખુદા એ ચીન્ધેલું કલાનું માધ્યમ સાંગોપાંગ ઉતરી ગયું છે, ફનકાર તો અંધારા અજવાળાની પેલે પાર પહોચી ગયા છે પણ એમણે આર્ટની સીમાઓને બેરહેમીથી કચડીને સમગ્ર ભારતીય અધ્યાત્મને વિશ્વફલક પર મૂકી દીધું.    

આર્ટ,મ્યુઝીક,મહોબ્બત બધું સબ્જેક્ટિવ છે,એને ઓબ્જેક્ટીવ બનાવો તો ભવાડા શરુ થાય જ.જે રીતે એ બન્યું છે એને એ રીતે જ જોવાથી વધુ મજો પડે એ નિર્વિવાદ છે. પણ કેટલાક વાંકદેખા લોકો પ્રેમ,કલા અને મ્યુઝીકના નામે 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ' કહીને જ ઠોક બજાકે પોતાનું બધે પ્રસ્થાપિત કર્યા કરે છે. પ્રેમ,કલા અને એ બધું જ કોઈક દિવ્યશક્તિ તરફ લઇ જવાનો માર્ગ છે. પૂછો ગોપીઓને. શ્રી કૃષ્ણ માટે એમને હળાહળ પ્રેમ સિવાય કશું હતું? શ્રીકૃષ્ણ એ પહેલી વાર એ સાબિત કર્યું કે ભક્તિ કે જ્ઞાન સિવાય પણ ત્રીજો માર્ગ છે પ્રભુ સુધી જવાનો.. એ છે પ્રેમ.પ્રભુને ચાહતા શીખો તો એ પણ તમને દિવ્ય પ્રકાશ તરફ લઇ જાય છે. ડીટ્ટો આર્ટ. તમે કોઈ કલામાં,ચિત્રમાં, સ્કલ્પચરમાં, કેમેરામાં ખૂંપી જાવ ત્યારે તમને જે મળે છે એ પણ આનંદ જ છે. ઉપર લખ્યો એ સંવાદ છે મર્હુમ એમ.એફ.હુસૈન એ ડાયરેક્ટ કરેલી ફિલ્મ 'મીનાક્ષી- ધ ટેલ ઓફ થ્રી સીટીસ'ની. ફિલ્મ અદૃત છે, મ્યુઝીકમાં રહેમાન સિવાય બીજી કોઈ પસંદગી જ ન હોય એ નિર્વિવાદ છે. તબિયત ખુશ થઇ જાય એવું મુવી છે પરંતુ મુખ્ય વાત છે અહીં એમાં રહેલા રંગોની. યેસ્સ, હુસૈન સાહેબે ફિલ્મ નહિ, કેન્વાસને જ બોલતો કર્યો છે. કેટકેટલા રંગો સ્ક્રીન પર પથરાયા કરે અને જરાય આંખને ન વાગે. 

અને મોસ્ટ એડોરેબલ, તબુ. ભારતીય પોશાકમાં એ ધગધગતા સૌન્દર્યને ઉજાગર કરે છે. ફિલ્મમાં કઈ કેટલીય રસઝરતી ક્ષણો છે જેનું પીક્ચરાઈઝેશન એમ.એફ. ના મિડાસ ટચને ઉછળી ઉછળીને દર્શાવે છે. તબુનો રોમાંસ, નવાબ સાબનું મનોમંથન, એનો રાઈટર્સ બ્લોક, 'શબ્દ' ફિલ્મના શૌકતની જેમ રીયાલીટી અને ઇમેજીનેશનની વચ્ચેના પાતળા બ્રીજ પર લંગડી રમતા નવાબ સાબ, સુભાષ ઘાઈની જેમ એમ.એફ.નો ફિલ્મના ચાવીરૂપ સીનમાં આવતો કેમિયો, તબુની લસલસતી હૈદરાબાદી જબાન, ગીતોમાં મહર્ષિ પતંજલિ યાદ આવી જાય એવા રચાતા પોઝ... આ બધું ફિલ્મમાં ઠાંસી ઠાંસીને ભરી દીધું છે હુસૈન એ. એ બહાને ભારતીય સંસ્કૃતિનો ધરખમ વારસો આંખ સામે તરવરે ત્યારે હિન્દુસ્તાની દિલ પુરજોશમાં ધબકે છે અને એક જ સવાલ મનમાં અને સ્માઈલ ફેસ પર તરવરે છે- 'આ માણસ અત્યાર સુધી હતો ક્યાં? આ મીનાક્ષી છે કે મેજીક?' 



આ કઈ ફિલ્મ રીવ્યુ નથી.કે નથી આ લખનાર કોઈ વિવે(બબુ)ચક. અહીં ફિલ્મ જોતી વખતે જે થયું છે એજ બયાન કર્યું છે. ફિલ્મ પૂરી થયા પછી તરત તુર્કી દુબઈ જવાનું થયું. ત્યાં આગળ પણ મન ન લાગ્યું એનું કારણ ફિલ્મે જગાવેલી પારાવાર બેચેની હતી, બેચેની હતી કેટલું બધું જોવાનું-જાણવાનું બાકી રહી ગયાની, વર્લ્ડ આર્ટમાં એમ.એફ.ની ગગનચુંબી પ્રતિભાથી સાવ અજાણ રહ્યાની. એ બેચેની ત્યાં ફરીને ત્યાનું બધું જ જાણવાથી થોડે ઘણે અંશે શાંત થઇ. ઘેર આવીને ફરીવાર ફિલ્મ જોઈ અને ખુદા કસમ, કાયમ નવું જ ડાયમેન્શન મળ્યું છે આ ફિલ્મ જોવાથી....સલામ એમ.એફ.હુસૈન (સોરી દાદા, બે જ હાથ છે..)

પાપીની કાગવાણી:
  
ટાઈટલ જેના નામે છે એ ગીત... એણજોય... http://www.youtube.com/watch?v=_ZqEKyZMook 

Monday, September 19, 2011

God - Believe It or Not...!!!

Camerlengo- Do u biliv in God sir?




Robert - Father, i simply biliv that religion..


Camerlengo- I didn't ask if you believe what man says about God. I asked u if u biliv in God.


Robert- my mind tells me i do'nt undrstand God.




Camerlengo- and your heart?


Robert- tells me i m not meant to. Faith is a gift that i yet to receive.
જાણીતો લાગે છે ને આ સંવાદ?ઈંગ્લીશ મુવીઝ્ના રસિયાઓ અને અઠંગ રીડર્સ માટે આ ડાયલોગ અજાણ્યો નથી.જેને GK વધારવું હોય એ નોંધી લો કે આ ડાયલોગ "એન્જલ્સ એન્ડ ડેમોન્સ "નામની બેસ્ટસેલર નોવેલ અને એ જ નામની બનેલી ટોમ હેન્ક્સની ફિલ્મનો છે.રોબર્ટ એટલે હાર્વર્ડ યુની.નો ભેજું ધરાવતો સિમ્બોલોજીનો પ્રોફેસર રોબર્ટ લેન્ગડન.ફિલ્મ અને નોવેલ,બેય જોવા-વાંચવાલાયક છે એવી પર્સનલ રીમાર્ક છે.મુખ્ય મુદ્દો ફિલ્મ તો નથી જ.,નોવેલ પણ નથી.મુદ્દો છે ગોડનો,એના પર નિર્ભર રહેતા કરોડો લોકોનો,એના અસ્તિત્વને નકારતા ચિંતકો-નાસ્તીકોનો,મંદિરો પર વારે તહેવારે ધક્કામુક્કી કરતા ભાવિકો-શ્રદ્ધાળુઓનો...શું લાગે છે?ડેન બ્રાઉન [એન્જલ્સ એન્ડ ડેમોન્સના રાઈટર] એ ખાલી પૈસા કમાવા માટે જ બુક લખી હશે?કે એનું લખાણ કોઈ ગુઢ,માયાથી સંતાયેલું,ગર્ભિત તત્વ તરફ ઈશારો કરવાનું માધ્યમ છે? ગોડ,ભગવાન,ઈશ્વર,પરમપિતા પરમાત્મા...બહુ બધા નામ છે.પણ કામ?એક જ.બધાય માટે શક્તિના હણહણતા સ્ત્રોત બની જવાનું,આશાનો સંચાર કરવાનો,અંધકારમાં પ્રકાશનું એક કિરણ આપવાનું...ટુંકમાં,લાઈફને ચેતન આપવાનું..ભગત તો પછી થાય છે..હાહા..દરેકને એમ લાગતું હોય છે કે એને ઈશ્વર વિષે સૌથી વધુ ખબર છે,એણે ઈશ્વર વિષે સૌથી વધુ વિચારી લીધું છે.પણ,ત્યાંથી તો એની સંકલ્પનાઓ સ્ટાર્ટ થાય છે.

સદીઓથી માણસને સવાલ થતો આવ્યો છે કે હું કોણ છું?હું કેમ આવો છું?અને એ સવાલે એક સનાતન ખોજ આરંભી.વેદો,ઉપનિષદ વગેરે એ જુદી જુદી વાતો કરીને એક સર્વશક્તિમાન પાવરનાં અસ્તિત્વ વિષે કહ્યું.તોય જગતમાં આ સવાલ હજી ઉભો જ છે કે શું ખરેખર ઈશ્વર છે?નોબડી નોઝ.પણ હા,પુરાવાઓનો પાર નથી એમ તર્કોનો પણ પાર નથી.કોઈ સાળંગપૂરનું ઉદાહરણ આપે તો કોઈ વોલ્કેનિક ઈરપ્શનનું.આખરે ગોડ છે શું?શું એ કોઈ અનલીમીટેડ પાવર્સ વાળો કોઈ માણસ હશે?કે પછી આપણે માણસ છીએ એ પણ એક સપનું છે?સમય પસાર થાય છે કે આપણે દોડીએ છીએ?બધું જ રીલેટીવ છતાય બધુંય તદ્દન અભિન્ન,અળગું.કૈક હાર્મની,કૈક એવું સિંક્રોનાઈઝેશન છે જે આપણા સમયને ગ્લોબલ બનાવે છે,કૈક તો એવું છે જે આપણને એક મોટી ઘટના કે બનાવના સાક્ષી તો કોઈ મહાન કામના આદ્ય પ્રણેતા બનાવે છે.આ બધું લખાયા કરે છે એ શું રીડીંગનો પ્રતાપ છે કે કોઈ અગમ્ય,મિસ્ટીરીઅસ પાવર મારી પાસે લખાવે છે?આ શબ્દો જયારે તમારી આંખો અને તમારા માઈન્ડ સુધી પહોચશે ત્યારે એમાં જે અસર થશે એ કોણ હેન્ડલ કરે છે?કોઈ વક્તા જયારે શબ્દોની માયાજાળ રચીને આપણને મંત્રમુગ્ધ કરે ત્યારે કઈ વસ્તુ આપણને એના તરફ ખેચી રાખે છે?હા,એ છે રહસ્ય.મિસ્ટરી.કૈક છૂપું હોય તો સાલી એના તરફ દોડવાની,એને અનકવર-અનાવૃત્ત કરવાની મજા આવે છે.આ માનવસહજ સ્વભાવછે.કોઈ ગમતી ચુલબુલી ફૂલ ડ્રેસમાં હોય અને વરસાદ આવે ત્યારે ચપોચપ ચોટેલા ડ્રેસને જોવાની મજા એ જ છોકરીને બીકીનીમાં જોવાથી ન આવે.કેમ?ઢંકાયેલું છે એટલે.વાદળોની પાછળ સંતાકુકડી રમતો સુરજ એટલો દઝાડતો નથી કેમકે એ કવર થઇ ચુક્યો છે.ઉઘાડેછોગ કવર થયેલી વસ્તુ જોતી દુનિયા સૂર્યગ્રહણ તૂટે એની નહિ,ડાયમંડ-રીંગ થાય એની રાહ જોતી હોય છે.બંનેની એક અલગ ભાત છે,એક અલગ મિજાજ છે અને એક અલગ સૌન્દર્ય છે.એમ ગોડ અને ડેવિલ અલગ નથી,બેયનું અલગ પાસું છે જે નોંધવું પડે.

પણ મુખ્ય સવાલ ગોડમાં બીલીવ કરવાનો છે.શું કામ કોઈ એમાં બીલીવ કરે?ભલે લોકોએ તેત્રીસ કરોડ દેવતાઓ ગણ્યા હોય,બધાયનું કામ લગભગ સરખું છે.એ કામ છે હિંમત બંધાવવાનું.આ લખનાર ગોડમાં બીલીવ કરે છે કે નહિ એ એને પોતાને નથી ખબર.પણ હા,લોકોની આશા ટકી રહે એ માટે ચમત્કારો થતા એણે જોયા છે.બદલાવાની જરાય આશા ન હોય ત્યારે ચુટકી બજાકે બદલાયેલા સંજોગો એ મગજ બ્લેન્ક કરી મુકેલું છે.કોમન પદ્ધતિ એ છે કે જયારે લોકોએ પોતાનું કામ પૂરું થવાની આશા સાવ જ મૂકી દીધી હોય ત્યારે જ કૈક એવું થાય છે જે એ હારેલા યોદ્ધામાં હિંમતનો નવો સંચાર કરે છે.ઘણા બધાયના અનુભવો આ વાત સાથે ચોક્કસ મેળ ખાતા હશે.શું આ ગોડના અસ્તિત્વ સામે આંગળી ચીંધે છે?નસીબ,ફેટ,લક...આ બધું શું ખરેખર હોય છે?સવાલો ઉત્તર પણ ધરાવે છે અને એક હદ પછી અનુત્તર થઇ જાયછે.
મેઈન વસ્તુ માણસનો અભિગમ છે.તમે ડિપ્રેસ થયા વગર હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરો તો એ ટળી જવાની છે.પણ હા,કોઈ સાથે કરેલી ગદ્દારી,કોઈનું તોડેલું દિલ,કોઈની જોડે કરેલો વિશ્વાસઘાત,કોઈના બુચ મારેલા પૈસા...ટુંકમાં કોઈ પણ ખરાબ વૃત્તિથી કરેલું કામ ત્યારે તો આભાસી વિજય જ બતાવે છે.પણ,અંદરથી એ માણસને કોરી ખાય છે.જે ડાર્કનેસ અંદર છે એને બહારની લાઈટથી દૂર ન કરી શકાય,એના માટે દ્રઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પબળ જોઈએ."કોન્સ્ટનટાઈન" ફિલ્મ માં કીઆનું રીવ્સ એજ કહે છે."હેલ અને હેવન ક્યાય બીજે નથી.એ હંમેશા આપણી અંદર જ અને આસપાસ જ છુપાયેલા રહેછે."અભિગમ પોઝીટીવ હોવાથી બળ આપોઆપ પેદા થશે.ઈમાનદારી,સચ્ચાઈ,પ્રમાણિકતા આ બધા આદર્શો નથી.રીઅલ વર્લ્ડ સામે ખુમારીથી ઉભા રહેવાના ટેકાઓ છે.એટલે જ સચ્ચાઈના માર્ગે ચાલનારની બરાબરની ફીરકી,ફિલમ બધુંય ઉતરે છે.ભગવાન,ગોડ...આ બધાને યાદ રાખવાથી એક તો નૈતિક હિંમત,આત્મવિશ્વાસ વધે છે અને બીજું એ કે જયારે તમે સફળ થાવ ત્યારે અભિમાન કોસો દૂર રહે છે.રામ કરતા રાવણની તાકાત ઘણી વધુ હતી.પણ નડી શું ગયું?અભિમાન,ઓવર કોન્ફીડંસ.પરીક્ષામાં ઓવર કોન્ફીડંસ રાખનારના માર્ક પણ ધોબીપછાડ જેવા હોય છે.બસ અહી જ ગોડ વિષે થોડું મળે છે.ગોડ છે ક્યાં?અભિમાન ન કરનાર માં,ત્રણ ચાર વર્ષના ખીલખીલાતા હાસ્ય માં,સમુદ્રની લહેરો પર ચાલ્યા જતા વયોવૃદ્ધ કપલમાં,પ્રિયજનની સ્નેહ નીતરતી આંખોમાં,સંતાન માટે ઉજાગરા કરતા માં-બાપોના થાકમાં...

દોસ્તો,ગોડને શોધવા ન જશો,અહિયાં જોઈ જુઓ જરા,ક્યાંક તમારો ગોડ ડોકિયા નથી કરી રહ્યો ને?


પાપીની કાગવાણી : 

શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શું જરૂર?
કુરાનમાં ક્યાંય પયગંબરની સહી તો નથી...જલન માતરી



  



  

Monday, June 6, 2011

Spiritualism માને અધ્યાત્મ માને અંધત્વ

વેલ,હેવી ટોપિક સમજીને જાતને બોર કે ઠળિયા જેવી ન ગણતા,કેમકે આ સબ્જેક્ટ તમારી અંદર પણ છે જ.લોહીની સાથે,વિચારોના ઘૂઘવતા સમંદરમાં વિદ્યમાન છે.હજારો વર્ષોની પરંપરા એ આપણામાં પલાયનવાદ રૂપે એનું ઘડતર આપણા સૌમાં કર્યું છે.આત્મા અમર છે અમર છે અમર છે.મારું શરીર મરી ગયા પછી મારા આત્મા ને શું બેંકમાં ડીપોઝીટ કરવા માટે રાખવાનો છે?જરા યાદ કરો એ સ્થળ,જેને સ્મશાન કહેવામાં આવે છે, સ્ત્રીઓ બાળકો માટે હજી સુધી વર્જિત છે એવા એ ક્ષેત્રમાં કોઈ નજીકના દુરના સ્વજન-મિત્ર વગેરેને બાળવા[હા એમ જ..વેવલાવેડા સિવાયની વાત થાય છે!] ગયા હો છો ત્યારે બળતી ચામડીના લોંદામાંથી હાડકું ખરી પડે છે ત્યારે કયું અધ્યાત્મ,કયું પ્રવચન,કયો બાપુ-બાવો,કયો સંપ્રદાય આડો આવે છે એ જાતને પૂછ્યું છે ક્યારેય?આટલા ક્ષણ-ભંગુર દેહને ઉપવાસો કરી કરીને એટલું નમાલું બનાવી દઈએ છીએ કે આ શરીર મર્દોને બદલે સુંવાળા,પોતાના જ પેશાબમાં થુંકી પણ ન શકનારા, થોડીક ઠંડી વધે ત્યાં બાટલા ચડાવવા પડે એવા ક્યુટ ક્યુટ અમેરિકન દેશી બેબીઝ જથ્થાબંધના ભાવે પેદા કરી દે છે.'બાબાને RO નું જ પાણી પીવડાવવું પડે છે.' હા,કેમકે બાબાને તો ઓલા બાબાની બનાવેલી દેશી દવાની આડઅસર થાય એટલું "બળવાન બોડી" છે.

અધ્યાત્મ કઈ જાદુટોના નથી.એની આયુર્વેદની જેમ ધીમી પણ મક્કમ અસર છે.એ માણસને પહેલા અંદરથી ઠીક કરે છે,પછી બહારથી.જે માણસ અધ્યાત્મ અને ધર્મને મિક્સ કરે છે એના આંટા ઉંધા ફરે છે કેમકે અધ્યાત્મ મનને સ્પર્શે છે જયારે ધર્મ દૈહિક ઉન્નતી તરફ નિર્દેશ કરે છે.એક બાવો ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે તમે જ તમારા ઉદ્ધારક બનો,જયારે બીજો બાપુ ડાહી ડાહી શિખામણો આપીને માનસિક ડાયાબીટીસ કરાવી દે છે.સરવાળે,કોઈનું ભલું થતું નથી ને પ્રજા મહ્ઝ ગધેડાની માફક ડફણા વગર માનતી નથી.અહી શેરીના નાકે તમને ઉપનીષદોના નામે કોર્નર પર માવો થૂકીને ઘરમાં જોહુકમી ચલાવતા ખડૂસ વૃદ્ધો પણ મળી રહે છે અને કચરો વાળતી કોઈ દાદી ચુલા અને લાકડાનો કાર્ય કારણનો સંબંધ વગર પૂછ્યે સમજાવી શકે એટલું અધ્યાત્મ સામાન્ય લોકોના લોહીની સાથે દોડી રહ્યું છે.

તેત્રીસ કરોડ દેવતાઓમાંથી દરેક જ્ઞાતિને પોતપોતાના હીરોની મૂર્તિ ઈઝીલી અવેઈલેબલ છે એટલે સમય[/સમસ્યા] આવ્યે પ્રજા શાહમૃગ કરતાય વધુ ઝડપે પોતાનું મોઢું કાન સહીત બોરવેલમાં ખોસી દે છે કેમકે જીભ તો એમેય પહેલેથી બંધ છે ને...અધ્યાત્મ મન શાંત કરે છે,ધર્મ જીભ-હાથ જેવા અવયવો શાંત કરે છે.ગુજરાતી પ્રજાનો મૂળભૂત ધર્મ જો કે પૈસા અને પ્રસિદ્ધિ છે એટલે એટલીસ્ટ એ મામલે આ લોકો ઝનુની તો છે.ફોર અ ચેઈન્જ,ઉપવાસની જેમ એ લોકો ધર્માદો કરી લે છે.[ફોટા ન્યુઝ સાથે જ હો...!] આટલું અધ્યાત્મ જ ખબર છે ભારતની જનતાને..તોય તત્વમસી એ કઈ સીધોસાદો શબ્દ નથી..સમગ્ર પ્રજા કોઈક અદ્રશ્ય તાંતણે બંધાયેલી છે.કોસ્મિક હાર્મની અહીં જીવતા જાગતા માણસો અબુધ રીતે ફોલો કરે છે.વિદેશની ધરતી પર કોઈ ભારતીય મળે ત્યારે તું બેંગોલી,હું ગુજરાતી જેવો અહંકાર 'હું પણ ભારતીય'ના શેઈક હેન્ડમાં ઓગળી જાય છે...અને આ જ મેજીક છે કે ભારતીય અધ્યાત્મ[દરેક અર્થમાં] નેચરને પ્રાધાન્ય આપે છે...પછી એ પ્રકૃતિ હોય કે સ્વભાવ હોય...ઇટ રીઅલી રોક્સ ડીપલી સમવ્હેર...

પાપીની કાગવાણી:

ક: ત્વં?[તું કોણ છે?] જવાબ= તત્વમસી[તું એ છે.]
   

Friday, June 3, 2011

Thought- વિચાર - ઘૂઘવતા સમુદ્રની મઝધારે થતી મુંઝવણ

વિચાર એટલે શું?કશુક કરવા માટેની પૂર્વતૈયારીનું માનસિક ચિત્ર?એમનેમ લાગણીઓને લીધે ચડતી ઘૂરી?જવાબ આસાન નથી કેમકે એને માટે પણ વિચાર કરવો પડે.મુદ્દો છે વિચાર કરતી વખતે થતી પરિકલ્પનાનો અને ખુલ્લી/બંધ આંખોથી થતી વિઝનીક ઉડાનનો.મન વિચાર નામના કોન્કોર્ડ પ્લેન પર સવાર થઈને ચુટકી બજાકે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી જાય છે.વિચારની તાદાત દૈનિક બે હજાર જેટલી હોય છે એવું સ્વ.નીરુબહેન અમીન કહેતા.દરેક વિચાર કઈ રીતે ક્યાં અસર કરે છે એની ખુદ વિચાર કરનારને પણ ખબર નથી હોતી.દરેક વિચાર મગજને જરૂરી નથી લાગતો હોતો.અને એટલે જ ક્યારેક જ કોઈ વિચાર આઈડિયા બને છે અને 'ક્લિક' થાય છે,આ પ્રક્રિયા બહુ જ જટિલ છે.વિચારનું ઉદ્ગમ ક્યાં છે એ હજી સુધી કોઈ નથી જાણતું. ઘણીવાર વિચાર ઉછીનો હોય છે અને સમગ્ર વ્યક્તિત્વને અસર કરી જાય છે ત્યારે એમાંથી એક નવું જ વ્યક્તિત્વ બને છે જે આભાસી હોય છે.કેમકે એ આગલા ઉછીના વિચારની અસર તળે બન્યું છે.શું આવા માણસને આપણે જીવંત રોબો કહીશું?

સામાન્ય ભાષામાં સમજીએ તો વિચાર જ્યાંથી પણ પ્રગટ થાય છે એ  મગજ/મન ટ્રાન્સમીટર છે.ત્યાંથી વિચાર ટ્રાન્સમિટ થાય છે અને સમગ્ર વિશ્વચેતનામાં છવાઈ જાય છે.રોજના આવા હજારો કરોડો વિચાર એક યા બીજી રીતે માણસને પ્રભાવિત કરતા રહે છે.એમાંથી મોટાભાગના વિચાર શરીરની ફિલ્ટર સિસ્ટમ ચાળી નાખે છે.કોઈ પણ સર્જન એક રીતે વ્યક્તિના પોતાના જ્ઞાન-બેઝ અને આવી વૈશ્વિક ચેતનાના આંદોલનને આભારી હોય છે.વિચાર,સૌથી વધુ અવરોધક અને જળો કરતા પણ વધુ સજ્જડ રીતે ચોંટી જતો પરોપજીવી છે.[સૌજન્ય :ઇન્સેપ્શન] એકવાર એ મગજમાં ઘુસી ગયો,છાલ પણ નથી છોડતો.સામાન્ય રીતે ડ્રીમલેસ ઊંઘ કોઈ નોર્મલ માણસને નથી આવતી.પણ જો એ આવવાનું શરુ થાય તો એને પણ સાઈકોલોજી ગરબડીનું સુચક ગણે છે.ક્યાંક તમારી સબ-કોન્શિયસ ડીફેન્સ નબળી છે એનું આ એલર્ટ સિગ્નલ છે.ડીટ્ટો વિચારશૂન્યતા.  ડીપ્રેશનની અસર હેઠળ આવું થતું હોય છે.કોઈ સ્વજનથી વિયોગ,કોઈનું મૃત્યુ એટસેટરા...કશુક વાંચ્યા પછી જો વિચારશૂન્યતા આવતી હોય તો એ સારું છે કેમકે બ્રેઇન-સ્ટોર્મિંગ સ્ટાર્ટ થયા પહેલાની એ શાંતિ છે.કશુક કાને પડી જાય અને દિલોદિમાગ તરબતર થઇ જાય કે ઝક્ઝોરાઈને બધું મૂંગું-મંતર થઇ જતું હોય તો એ જાત સુધરવાની નિશાની છે.અને ઓફિસમાં કામ વગર બેસી રહેવું પડતું હોય તો એ જોખમકારક છે.

આવું થાય ત્યારે પોતાની અંદર ઝાંકતા રહેવાની ટેવ ફાયદો આપી શકે.વિચારશૂન્યતા પોઝીટીવ હોય કે નેગેટીવ,બહુ વાર રહેવા દેવાય નહિ.મગજ પોતે જ કશુક કરવા ટ્રાય કરે છે.અને જયારે એમાં એ ફેઈલ જાય છે ત્યારે શરીર પર એની અસર વર્તાવા લાગે છે.પોતાના જુના શોખને જગાડો,ઢંઢોળો અને જરૂર પડે લાત મારીને ઉઠાડો.રાઈટર થી લઈને કોર્પોરેટ એક્ઝીક્યુટીવ્સને આવી વિચારશૂન્યતા/બ્લોક/ડીપ્રેશન બધું જ અથવા કોઈ પણ એક લાગુ પડી શકે છે.આ મામલે ઉપનિષદ સરસ ઉકેલ આપે છે.'સવાલો પૂછવા કરતા તું જ તારો જવાબ બન.'



પાપીની કાગવાણી: 


એક ઘડી ભર નો ઉજાસ, અને ખાલીપો.
કલાકો નો અંધકાર, અને ખાલીપો.


થોડો સ્વાદ, થોડો આસ્વાદ, એક મીઠો સાદ ,
અને ખાલીપો.
બે ઘડી યારો નો સાથ, અને ખાલીપો.



ઘણું બધું ભેગું થાય, ઘૂંટાય, દબાય, ભીંસાય,
પછી જે મળે એ થોડો ધૂંધવાટ અને ખાલીપો.


થોડી સફળતા ની મજા અને ખાલીપો
થોડી નિષ્ફળતા ની સજા, અને ખાલીપો


હવે કોઈ પૂછશે આ કવિતા એટલે શું? 
આ રહ્યો જવાબ,
થોડા ગાંડા ઘેલા શબ્દો અને ખાલીપો...

-પ્રશમ ત્રિવેદી

Wednesday, March 16, 2011

Colors of rainbow, Colors of life..."વાયોલેટ"

વેલ વેલ, કલર સીરીઝનો આખરી કલર,વાયોલેટ.જાંબુનો અંદર નો ગર અને ટી શર્ટ આ બેય તરફ,ખેચાણ અનુભવાય તો એ કઈ ખોટું નહિ.પોઈઝનસ આભા ધરાવતો આ રંગ કઈ ખરેખર ઝેરીલો નથી.શીત પ્રકૃતિ વાળી વસ્તુઓ,પાંદડા,ફૂલો વગેરે વાયોલેટ છે.ડેસ્કટોપ સ્ક્રીન પર વાયોલેટ કલરની પાંખડીઓ વાળું ફૂલ એકલું હોય તોય જાણે સ્ક્રીન અધુરો નથી લાગતો.વાયોલેટ કોફી-મગ કુલ મિજાજ બતાવે છે કે અંદરુની  ગરમાટો?દિવસે અને રાત્રે બેય ટાઈમ એ પહેરી શકાતા કપડાઓમાં આ રંગ કોમન છે.રોયાલીટી અને સાદગી,બેયનું મિશ્રણ એટલે આ રંગ.કલર સ્પેક્ટ્રમના બીજા બ્રાઈટ કલર્સ સામે એ જરા ડલ પડે છે,પણ વાયોલેટ સાડી હોય કે ડ્રેસ, સ્ત્રી એમાં હંમેશા આકર્ષક લાગે છે.અત્યારે બજારમાં બહુ જોવા મળતી કાળી દ્રાક્ષને પીસીને જુઓ તો વાયોલેટનો ઘેરો શેડ જોવા મળે છે.ઠંડી,મદહોશ કરાવે એવી,નશીલી વાયોલેટની પ્રકૃતિ છે.

વાયોલેટ ઓરા ધરાવનાર વિઝનરી વિચારધારા રાખે છે.આપણા સહસ્ત્રાર ચક્રનો રંગ વાયોલેટ હોય છે.ઈશ્વર સાથે કનેક્શન સ્થાપવાનું પહેલું પગથીયું એટલે વાયોલેટ કલર.ચર્ચના પાદરીઓ "ઝાડફૂંક" નામની ક્રિયા કરતી વખતે ગળા ફરતે વાયોલેટ કપડું વીંટે છે.ઓન ધ નેમ ઓફ ક્રાઈસ્ટ કહીને શાપિત વ્યક્તિને સાજા કરવામાં મદદ કરે છે.કલર સ્પેક્ટ્રમમાં આ કલર જરાતરા હિડન રહેતો હોય છે.ડીટ્ટો ઈશ્વરની જેમ.આપણને લાલ રંગની શક્તિ,લીલા રંગની શાંતિ અને પીળા રંગની ગરમી જ દેખાય છે કેમકે એ પ્રભાવી છે લાઈફમાં.બાકીના રંગો દેખાતા હોવા છતાંય આટલા રંગો જ ધ્યાન ખેંચતા હોય છે.અને એમાં માણસનો કોઈ વાંક જ નથી.પણ,સાલી લાઈફમાં આટલા રંગો જોવાનોય ટાઈમ છે?થીંક ફોર 2 મિનીટ્સ...

પાપીની કાગવાણી:

Don't become LATE while reaching towards VIOLET... ;) 

Colors of rainbow, Colors of life... "ઇન્ડીગો"

ઇન્ડીગો તો કારનું નામ નહિ? યેસ્સ, વાત તો સાચી  છે.પણ,એનું મૂળ સુત્ર "ઇન્ડિયા ગો" હતું. ઇન્ડીગો એટલે ગળી કલર. રંગ જોતા એવું લાગે કે ભૂરા રંગે ખટાશ પકડી લીધી છે. સંબંધોમાં પણ ક્યારેક ખટાશ આવે છે જ ને? ને પછી આવે છે હૃદયને દર્દથી ભરી દેતો ઇન્ડીગો કલર. ધરબાયેલો ગુસ્સો પણ આ જ કલરનો હોય છે. ડંખીલા મનવાળા લોકોનો ગુસ્સો આવો જ હોય છે. દિલને સતત કુરેદ્તો ગુસ્સો અને ઘાવ,બેય માણસને જંપવા દેતા નથી. આની પાછળ રહેલી બાબત સાવ નાની હોય છે. અદ્દલ વ્હાઈટ ડ્વાર્ફ સ્ટાર જેવી. એ પણ આછા ગળી કલરનો હોય છે જયારે આ પરિસ્થિતિ માં આવે છે. બાહ્ય સપાટીનું તાપમાન હજારો ડીગ્રી સેલ્સિયસ હોય છે. હવે ફીઝીક્સમાં આવું હોય તો સાઈકોલોજીમાં તો કેવું ને કેવું હોય.

એકઝેટલી, મનના કડાકા ભડાકા જીવ ખાતા હોય ત્યારે કલર્સ એકબીજામાં ભળી જતા હોય છે.જેલસીનો લીલો,ગુસ્સાના લાલ-પીળા, અને છુપા રહેલા ગુસ્સાનો ઇન્ડીગો કલર. છુપો ગુસ્સો;વ્યક્ત થતા ગુસ્સા કરતા વધુ ખતરનાક હોય છે. દુર્યોધન, કૈકેયી બહુ બધા ઉદાહરણો છે. વ્યક્ત થતો ગુસ્સો ક્ષણજીવી હોય છે જયારે છુપો ગુસ્સો લાંબા ગાળા સુધી સસ્ટેઈન થતો હોવાથી જખ્મો આપે પણ છે અને અપાવે પણ છે. ઇન્ડીગો કલર સ્ટ્રોંગ અંત:સ્ફુરણા બતાવે છે. ધગધગતી તાકાતને સાચવી રખતો કલર સમય આવ્યે એનું ઉત્સર્જન કરે છે ત્યારે કા તો સર્જન થાય છે,કા વિનાશ થાય છે. ડીટ્ટો શિવજીના ત્રીજા નેત્રનું છે. અસીમતાનું સુચક છે આ રંગનું સ્પેક્ટ્રમ. સ્પીરીચ્યુઅલ એક્સ્ટ્રીમ તરફ જતી રાહ પર આ અંતિમ પડાવ છે. આ પણ આજ્ઞાચક્રની અંદરના ત્રીજા નેત્રનો સુચક રંગ છે. વિશિષ્ટતા, કશીક વધુ શક્તિ,ગુઢ અને ન સમજાયતેવી તાકાત અને દ્રષ્ટિ ઇન્ડીગો અને એની પછીનો વાયોલેટ કલર ધરાવે છે. ભૂતકાળમાં પોતાની જાતે સળગી જતા લોકોમાં અગ્નિ પ્રકટ થતી વખતે ઇન્ડીગો કલર પહેલા દેખાયાનું નોંધાયેલ છે. ઇન્ડીગો આમ તો ગરમ કલર છે,પણ એ ગરમી ઈશ્વરીય તત્વની છે.સેલ્ફની છે. સોલાર પ્લેક્સસને ઉત્તેજિત કરીને હિલિંગ કરતી રેકી અને એને રિલેટેડ બધી વસ્તુઓ ગરમ હોવાની. ઇન્ડીગો કલર ગરમીની એક્સ્ટ્રીમનેસ બતાવે છે.અને એટલે જ ભક્તિ હોય કે જ્ઞાન હોય,તપવાનું લખ્યું જ છે સાધકના નસીબમાં.

પાપીની કાગવાણી:

ઉગ્ર ગરમી લોઢાને સફેદ બનાવી દે છે, માણસનું દિલ સંજોગોની આગમાં કાળું બની જાય છે. કૈક કરવું જોઈએ એવું નથી લાગતું? 

Sunday, February 27, 2011

Letter to Best Dost, Feeling lost...

સાલા કમીના,

તને કાયમ યાદ દેવડાવવાનું કે તારો એક દોસ્ત છે? એ દોસ્ત જેની જોડે તે ચા ની કીટલીએ અડધી ચા શેર કરતી વખતે એની પણ ચા ગટગટાવી ગયો હતો, એ દોસ્ત જેની શેરવાની પહેરીને તું કોઈકના લગ્નમાં લાઈનો મારવા ગયો હતો, એ દોસ્ત જેની જોડે ફ્રુટ-સલાડના ગ્લાસ પીવાની હરીફાઈમાં તારે એને હાજમોલા ખવડાવવી પડી હતી, એ દોસ્ત જેને તારી જોડે એક પણ વાત,ઘટના,દુર્ઘટના શેર કર્યા વગર ચાલતું નથી, એને જ તું ભૂલી ગયો? એવો તે કેવો જોબમાં પડી ગયો કે એક SMS કે કોલ કરવા જેટલો પણ ટાઈમ નથી? રખડપટ્ટીથી લઈને રીલેશનશીપ સુધી અને મનીથી લઈને મ્યુઝીક સુધી તે કાયમ સપોર્ટ આપ્યો છે એ બધું ભૂલીને તું સાલા આટલો દૂર જતો રહ્યો? 3 Idiots જોઈને તે જ ફોન કરેલો ને કે "યાર આપડું ગ્રેજ્યુએશન આવું જ હતું કા?" તારા માટે છોકરીઓ જોવાનો બાકાયદા હક છે પણ તું જ આઉટ ઓફ કવરેજ રહે તો થઇ રહ્યા તારા મેરેજ. દિલ અને દોસ્ત માટે ટાઈમ દેવા માટે વિચારવાનું ન હોય. ઇવન,તને ખબર છે કઈ કેટલાય સંબંધો જોડવા અને જાળવવા તારી જરૂર છે? આજે દિલની કસક કહી શકાય-શેર કરી શકાય એવી કંપની નથી, મિત્રો તો મળી રહે છે; દરેક જગ્યા એ મળી રહેતા હોય છે...પણ એ ચાર્મ નથી અનુભવાતો.સંબંધો  કૃત્રિમ કૃત્રિમ લાગ્યા કરે છે. હકની ફીલીંગ પ્લાસ્ટીકી પરત જેવી લાગે છે ત્યારે ઝાકળભીના ગુલાબ જેવી દોસ્તી અને દોસ્ત બેય ક્યાંક ખોવાયાની અનુભૂતિ થાય છે યાર.

યાદ છે તને છેલ્લે આપણે છુટા પડ્યા ત્યારે લાઈફટાઈમ કોન્ટેક્ટમાં રહીશું એવી વાત કરેલી? આજે એક SMS  શું, સાલી ગાળ પણ સામેથી માગીને ખાવી પડે છે. કોઈ તબીયતથી ગાળો દઈને ધાર્યું કરાવતું નથી. કોઈ ફોન કરીને 'તારી મુવી ટીકીટ લઇ લીધી છે ને તારા ક્રિટીકવેડા સાંભળવા તને સાથે નથી લઇ જતા સમજ્યો?' આવું નથી કહેતું. ધાબે પંજાબી ખાતી વખતે જીભે બટકું ભરાય છે ત્યારે તારી યાદ સાથે આંખ ડબડબ થાય છે. જીભડી ચા પીતી વખતે દાઝી જાય ત્યારે પહેલા ગાળ સંભળાતી, હવે નથી સંભળાતી. તહેવારોમાં મળીશું મળીશું ની વાતો થાય છે,મળાતું નથી.અને એની તો ફરિયાદ પણ નથી. ફરિયાદ છે એકલા પડી ગયાની, જીવનસફરમાં ભુલા પડ્યાની, ને કાયમ સાથે રહેતો એ સાથ છૂટી ગયાની...

તને પ્લીઝ કહેવાની જરૂર તો છે જ નહિ..પણ તોય સમજ દોસ્ત, આજે તારી જરૂર છે, ઘણી બધી જગ્યા એ. અભી હમે બહુત કુછ કરના બાકી હૈ..એસે તું ચલા જાયેગા તો કૈસે ચલેગા? નહિ હોગા યે સબ તેરે બીના યાર...    

આ બધું કઈ બધાની સહાનુભૂતિ ઉઘરાવવા નથી લખ્યું.આ એટલા માટે લખ્યું છે કે બધાને ખબર પડે કે ક્યાંક એઓ પોતાના દોસ્તની વેલ્યુ સમજવામાં પાછળ નથી રહી ગયા ને? આઈ મિસ યુ યારા, આઈ નીડ યુ....